વિશ્વભરમાં જળવાયુ પ્રદુષ્ણ અને પરિર્વતનનાં કારણે હાહાકાર મચેલો જોવામાં આવી રહ્યો છે. ક્યાંક વાવાઝોડા અવે છે, તો ક્યાંક હદ બહારનો વરસાદ, ક્યાંક ભૂકંપ આવે છે, તો ક્યાંક આગ લાગીને લાખો કિલોમીટર રાખનાં ઢેરમાં ફેરવાઇ જાય છે. ગ્લેશીયર ઓગળી રહ્યા છે. તડકો અસહ્ય વધી રહ્યો છે, અડધી દુનીયા પૂરનો પ્રકોપ વેઠી રહી છે.
ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જનું કહેવું છે કે, સમુદ્ર સપાટી પહેલાં કરતાં અત્યંત ઝડપથી ઉપર આવી રહી છે, અને બરફ ખૂબ ઝડપથી ઓગળી રહ્યો હોવાથી વર્ષ 2100 સુધીમાં સમુદ્રની સપાટીમાં એક મીટર જેટલો વધારો વિશ્વના 1.4 અબજ લોકોને પ્રભાવિત કરશે તેવી સંભાવના છે.
ILCC એજન્સીનું કહેવું છે કે ભારતના ચાર શહેર – સુરત, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇ સહિતના વિશ્વના 45 શહેરોની સ્થિતિ તો એવી છે કે માત્ર 50 સે.મી. સમુદ્ર સપાટી ઊંચી આવે તો પણ આ શહેરોમાં ભારે પૂર આવ્યાં હોય તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. તો શું વર્ષ 2100માં શું હશે આ તમામ ચાર શહેરો સહિત વિશ્વનાં 45 સમુદ્વકાંઠાનાં શહેરોનું ભવિષ્ય. જાગો વિશ્વ જાગો……..