બનાસકાંઠા,
થરાદની ચૌધરી હોસ્પિટલમાં ઇન્જેક્શન આપ્યા બાદ તુરંત મહિલાનું મોત થયુ છે. મોત મામલે અલગ અલગ નિવેદનો સામે આવ્યા છે.
મૃતક મહિલાના પરિવારજનોએ તબીબ ખેમરાજ ચૌધરી સામે આંગણી ચિંધી છે. તબીબને મોત માટે જવાબદાર ઠેરવ્યા. આ મામલે લોકરોષ ફેલાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. જો કે તબીબે મહિલાનું હદય બંધ થવાથી મોત થવાનુ નિવેદન આપ્યુ.