આજે વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસની ઉજવણીમાં રાજકોટ મહાનગરપાલિકા જોડાયું છે. એટલું જ નહીં રાજકોટ મહાનગરપાલિકા એ કચેરીને બ્લુ કલર થી શણગારી અને અનોખી રીતે ઉજવણી કરી ઓટીઝમના દર્દીઓ પ્રત્યે પોતાની સંવેદના પ્રદર્શિત કરી છે.
આજે તા. ૦૨/૦૪/૨૦૨૧ એટલે ‘વિશ્વ ઓટીસમ જાગૃતતા દિવસ’ તરીકે સમગ્ર વિશ્વમાં અલગ અલગ સંસ્થા દ્વારા ઉજવણી કરવામાં આવે છે.વિશ્વ ઓટીસમ દિવસ એટલે એવા બાળકો માટે ઉજવવામાં આવે છે કે બાળકો સ્વમુગ્નતા ધરાવતા હોય છે જેને સમાજ સાથે કોઈ જ લેવા-દેવા નથી હોતી. પોતાની આજુ બાજુમાં થતી પ્રવૃત્તિમાં પણ જોડાતા નથી. જે માત્ર પોતાનામાં જ રચ્યા પચ્યા રહેતા હોય છે. જેનામાં સમજણ શક્તિ ખૂબ જ ઓછી હોય છે અને પોતાની ઉંમરના બાળકો સાથે ભળે નહીં તેઓને એકાંત જ પસંદ હોય છે.
જે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ બિલ્ડીંગને બ્લુ કલરથી શણગારીને આ ઉજવણીમાં સામેલ થઈ છે.આ પ્રકારના બાળકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ જન્મજાત પીડા નથી બાળકને 2 થી 2.5 વર્ષની વયે માલુમ પડે છે કે આ બાળક ઓટીસમ છે.સમગ્ર વિશ્વમાં આ ઉજવણીના ભાગ રૂપે અલગ અલગ સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમો કરી વિશ્વ ઓટીસમ જાગૃતતા દિવસ ઉજવે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…