શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટ બાદ હવે ગુજરાતમાં IB દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.શહેરની રથયાત્રામાં એલર્ટ રહેવા તંત્રને સુચના આપવામાં આવી છે.એલર્ટને પગલે રાજ્ય પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ફુટ પેટ્રોલિંગથી લઈને કેમેરા રિપેરિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે શ્રીલંકા દરિયાઈ માર્ગે 15 જેટલા ISISના આતંકીઓ બોટમાં ભારતમાં ઘુસવા નિકળ્યા હોવાના ઈનપૂટ મળ્યા હતા. જેને પગલે દક્ષિણના દરિયા તટોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં હવે રથયાત્રામાં પણ આતંકની દહેશત જણાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.