પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની પીએમ ઇમરાન ખાનને પાકિસ્તાન દિવસના અવસર પર શુભેચ્છા પાઠવતા મેસેજ મોકલ્યો છે, પરંતુ જૂની પરંપરાઓને છોડી પાકિસ્તાનના નેશનલ ડે માં સામેલ થવાનો બહિષ્કાર કર્યો છે.
ઇમરાન ખાનને શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે સમય આવી ગયો છે કે આ ઉપખંડના લોકો લોકશાહી, શાંતિપૂર્ણ, પ્રગતિશીલ અને સમૃદ્ધ ક્ષેત્ર માટે મળીને કામ કરે. એવું માહોલ બને જેમાં આતંકવાદ અને હિંસા માટે કોઈ જગ્યા હોય.
તો, ઈસ્લામાબાદમાં સ્થિત ભારતીય હાઈ કમિશનના અધિકારી આજે પાકિસ્તાન ડે સાથે જોડાયેલા કોઈપણ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ભારત સરકારનો કોઈ પ્રતિનિધિ હાજર રહેશે નહીં.
આપને જણાવી દઈએ કે વારંવાર ઇનકાર કર્યા પછી પણ પાકિસ્તાન હાઇ કમિશનરે અલગાવવાદી સંગઠન હુર્રિયત કોન્ફરન્સને આમંત્રણ આપ્યું છે. આ કારણ છે કે ભારતે કાર્યક્રમમાં સામેલ થવાથી સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે. સામાન્ય રીતે, વિદેશ મંત્રાલય અથવા રાજ્ય મંત્રી આ કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે.
તો ત્યાં જ ગુરુવારે સાંજે જ એ સ્પષ્ટ થઈ ગયું કે પાકિસ્તાનના હાઇ કમિશનરે હુર્રિયતના તમામ નેતાઓને આમંત્રણ આપ્યું હતું. હુર્રિયત નેતાઓના આમંત્રણ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે આવા ઘણા વિવાદો થયા છે, પરંતુ આ કાર્યક્રમમાં સામેલ ભારતની તરફથી કોઈક ના કોઈ પ્રતિનિધિ હંમેશાં રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ભારતની તરફથી કૃષિ રાજ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવાતે પ્રતિનિધિત્વ કર્યું હતું, જો કે, અલગાવવાદી સંગઠનમાં હુર્રિયત કોન્ફરન્સની કેટલીક રજૂઆત હતી. આ પહેલા ઘણી વાર હુર્રિયતના ટોચના નેતાઓ તેમાં ભાગ લેતા આવ્યા છે અને પાકિસ્તાનના ઉચ્ચ કમિશનમાં ઘણી વાર ભારત વિરોધી વિરોધબાજી પમ થાય છે.