સુરત,
સમગ્ર વિશ્વમાં 9મી ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે સમગ્ર વિશ્વના આદિવાસીઓ આ દિવસની ઉજવણી હર્ષો ઉલ્લાસથી કરતા હોય છે.
સુરતમાં વિશ્વ આદિવાસી દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસી વિસ્તારમાં ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સુરતના રિંગ રોડ વિસ્તારથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા..
પર્યાવરણનું જતન અને આદિવાસી સમાજને ટકાવી રાખવાનો રેલી દ્વારા સરકાર અને લોકોને સંદેશ આપમાં આવ્યું હતું. આશરે 6 કિલો મીટર લાંબી આ રેલી જિલ્લા કલેકટર કચેરી પોહચી આવેદનપત્ર પાઠવશે. ત્યારબાદ ઉમરા પાર્ટી પ્લોટ ખાતે જાહેર સભા કરશે.