દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવ્યા છે.ત્યારે આજે બંન્ને મુખ્યમંત્રીઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. હવે કેજરીવાલ બાપુનગર પહોંચ્યા છે. લોકોએ અહીં કેજરીવાલ અને ભગવંત માનનું સ્વાગત કર્યું છે. જણાવીએ કે, ખોડિયાર માતાજીના દર્શન કરી રોડ શોનો પ્રારંભ કર્યો છે. આ રોડ શોમાં મોટી સંખ્યમાં કાર્યકરો પહોંચ્યા હતા. કોઈ અણબનાવ ના બને તે હેતુથી પોલીસેનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આ તિરંગા યાત્રામાં પોલીસ અલગ અલગ પોઈન્ટ બનાવી દૂરબીન અને અન્ય ટેક્નિકલ સર્વલેન્સની ધ્યાન રાખવામા આવશે.
આમ આદમી પાર્ટી દ્વારા સુરત, ભાવનગર, વડોદરા, રાજકોટ, જામનગર સહિ ગુજરાત માંથી કાર્યકરોને લાવવામાં આવ્યા છે. આ તમામ કાર્યકરોને હાથમાં તિરંગો આપવામાં આવ્યો છે. મિશન ગુજરાત 2022 ને લઈને આપ પાર્ટીનો સંદેશો ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જામશે ત્રિપાંખીયો જંગ તિરંગા યાત્રા થકી ગુજરાતની જનતાને સ્પષ્ટ મેસેજ આપશે. પંજાબમાં ભવ્ય જીત બાદ ગુજરાતમાં આપ દ્વારા તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો :સરકારના દબાણ અને આદેશથી અમને ધરણાં પૂર્ણ કરવા દીધા નથી : કોંગ્રેસી ઉપપ્રમુખ
આ પણ વાંચો : કાપડિયાળી ગામમાં ગંગામૈયા આશ્રમમાં શોભાયાત્રાનું આયોજન, ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા
આ પણ વાંચો :લીંબુના ભાવ વધારે મન કર્યું ખાટું, 200 રૂપિયા કિલોએ પહોંચ્યો રેટ
આ પણ વાંચો :પંજાબ બાદ હવે ‘આપ’નું ટાર્ગેટ છે ગુજરાત, કેજરીવાલ અને ભગવંત માને ગાંધી આશ્રમની લીધી