સુરત/ યુથ નેશન દ્વારા ડ્રગ્સ અવેરનેસને લઈ કરાયું અનોખું આયોજન, સંદેશો આપીને યુવા પેઢીને કરાઈ પ્રોત્સાહિત

આ વર્ષે યુથ નેશન દ્વારા શહેરના અનુવત દ્વાર નજીક ટ્રાફિક સર્કલને અલગ અલગ રંગોથી શણગારી તેના પર સે નો ટુ ડ્રગ્સ, યસ ટુ લાઈફના સંદેશાઓ લખવામાં આવ્યા છે.

Gujarat Surat
યુથ નેશન
  • યુથ નેશન દ્વારા અનોખું આયોજન
  • ટ્રાફિક સર્કલને વિવિધ રંગોથી શણગાર્યું
  • ટ્રાફિક સિગ્નલ પર સંદેશાઓ લખ્યા
  • ઉચ્ચ અધિકારીઓ રહ્યાં ઉપસ્થિત

સુરતમાં યુથ નેશન દ્વારા ડ્રગ્સ અવેરનેસને લઈ અનોખુ આયોજન કરાયું.. દર વર્ષે યુથ નેશન દ્વારા ડ્રગ્સ અવેરનેસને લઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે યુથ નેશન દ્વારા શહેરના અનુવત દ્વાર નજીક ટ્રાફિક સર્કલને અલગ અલગ રંગોથી શણગારી તેના પર સે નો ટુ ડ્રગ્સ, યસ ટુ લાઈફના સંદેશાઓ લખવામાં આવ્યા છે. તો આ ઉપરાંત સ્કોડા સ્ટેલારના સહયોગથી સર્કલના લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર, પોલીસ કમિશનર, મનપા કમિશનર, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો :  યુપી ઈલેકશનનો અનોખો પ્રચાર, સુરતની સાડીમાં મોદી યોગી…

સુરતમાં યુથ નેશન દ્વારા સતત સાતમાં વર્ષે અનોખું આયોજન કરવામાં આવ્યું. આ વખતે યુથ નેશન શહેરવાસીઓને એક એવું ટ્રાફિક સર્કલ અર્પણ કર્યું કે જે અહીં થી પસાર થતા વ્યક્તિને ડ્રગ્સના વ્યસનથી દૂર રહેવાનો અને જિંદગીને પ્રેમ કરવાનો સંદેશ આપશે.

યુથ નેશનની સ્થાપના આજની યુવા પેઢીને ડ્રગ્સના વ્યસનથી દૂર રાખવા માટે અને સમાજને નશામુક્ત બનાવવામાં માટે કરવામાં આવી છે. દર વર્ષે સંસ્થા દ્વારા ગણતંત્ર દિવસ પર રોડ શોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ બે વર્ષથી કોરોના મહામારીના કારણે રોડ શો નું આયોજન શક્ય નહીં બનતા અલગ રીતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાછલા વર્ષે કાર રેલી દ્વારા સે નો ટુ ડ્રગ્સ, યસ ટુ લાઈફનો સંદેશ આપ્યો હતો. જ્યારે આ વર્ષે યુથ નેશન દ્વારા અનુવ્રત દ્વાર પાસેના ટ્રાફિક સર્કલ ને અલગ અલગ રંગોથી શણગારવામાં આવ્યું છે અને તેના પર સે નો ટુ ડ્રગ્સ, યસ ટુ લાઈફ ના સંદેશાઓ લખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : સુરતમાં વિદ્યાર્થીઓમાં વધ્યું કોરોના સંક્રમણ, જાણો નવા કેટલા નોંધાય કેસ

આ સર્કલ પરથી રોજ 40 થી 50 હજાર વાહનો પસાર થાય છે ત્યારે આ સર્કલ લોકોને ડ્રગ્સના નશાથી દૂર રહેવાનો સંદેશ આપશે અને યુવા પેઢીની નશાની ચંગુલમાંથી દૂર રાખવા મદદગાર બનશે. સ્કોડા સ્ટેલારના સહયોગથી સર્કલના લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર, પોલીસ કમિશનર, મનપા કમિશનર, સહિતના અધિકારીઓ, શહેરના અગ્રણી સામાજિક કાર્યકર્તાઓ વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં સર્કલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે જ ઉડાન બેન્ડ દ્વારા અહીં સુંદર એવી પ્રસ્તુતિ આપવામાં આવી હતી.

આ પણ વાંચો :અમદાવાદ અને સુરત મહાનગરપાલિકામાં આજે બજેટ રજૂ કરવામાં આવશે

આ પણ વાંચો :ધંધુકામાં ફાયરિંગમાં યુવકનું મોત બાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ,આજે બંધનું એલાન,જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો : ગુજરાતભરમાં કાતિલ ઠંડી,10 વર્ષનો રેકોર્ડ તૂટયો,જાણો સમગ્ર વિગત