ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ કહેર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા ૧૪૦૦૦ને પાર પહોંચી ચુકી છે. ત્યારે અમદાવાદમાં પણ કોરોના વાઇરસે મઝા મૂકી છે. ત્યારે અમદાવાદમાં કોરોના પોઝીટીવ નો આંક ૧૦૦૦૦ને પાર કરી ચુક્યો છે.ત્યારે આજે વધુ એક રાજકીય નેતા કોરોના નો શિકાર બન્યા છે.
ભાજપના નેતા જયંતીભાઈ પરમારનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જયંતિભાઈ પરમાર દાણીલીમડામાં રહે છે. અને અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. કોરોના અંતર્ગત સેવાકીય પ્રવૃતિ દરમિયાન તેમને ચેપ લાગ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.