![અમદાવાદ/ 1 મેથી માસ્ક ન પહેરનારા કરિયાણા અને દૂધની ડેરી જેવા દુકાનદારો સાવધાન હવે થી વસુલાશે આટલો મોટો દંડ ... 3 afd8cf4604ed95ed34a2415d2c386eee 1 અમદાવાદ/ 1 મેથી માસ્ક ન પહેરનારા કરિયાણા અને દૂધની ડેરી જેવા દુકાનદારો સાવધાન હવે થી વસુલાશે આટલો મોટો દંડ ...](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/04/afd8cf4604ed95ed34a2415d2c386eee-1.png)
ગુજરાત રાજ્યમાં ફેલાયેલા કોરોના વૈરસે અમદાવાદમાં કાળો કહેર મચાવ્યો છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૭૦૦ થીબ્વધુ નોધાયેલા કેસ માંથી ૨૫૦૦થિ વધુ કેસ તો માત્ર અમદાવાદ માં નોધાયા છે. અમદાવાદ શહેરમાં કોરોના વૈરા અંગે માહિતી આપતા શહેર મ્યુ. કમિશ્નર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસમાં 7793 સુપરસ્પ્રેડર્સનું સ્ક્રિનિંગ કર્યું છે. જેમાંથી 2098ના સેમ્પલ લીધા હતા, જેમાંથી 115ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ શાકભાજી વેચનારાઓને ફ્રીમાં માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર આપવાની શરૂઆત કરી છે. સાથે જ હે થી 1 મેથી માસ્ક ન પહેરનારા કરિયાણા અને દૂધની ડેરી ના દુકાનદારોને રૂ. 5000, ફેરિયાઓને રૂ.2000 અને સુપર માર્કેટ્સને રૂ. 50 હજારનો દંડ ફટકારવામાં આવશે.
એલજી હોસ્પિટલ અંગે જણાવતા તેમને કહ્યું હતું કે, 10 દિવસ પહેલાં 17 ડોક્ટર, નર્સ અને સ્ટાફ સહિત 23ને કોરોના વાઈરસનો ચેપ લાગ્યા પછી હોસ્પિટલ બંધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક સપ્તાહ બાદ મંગળવારે ઓપીડી ફરીથી શરૂ કરાઈ હતી. ડીલિવરી માટે આવેલી મહિલા દર્દી કે અન્ય ઓપરેશન માટે આવેલા દર્દીઓના ઓપરેશન કે ડિલિવરીના 5 દિવસ પહેલાં તેમનો કોરોના રિપોટ ફરજિયાત બનાવાયો છે. જેથી અન્ય ડોક્ટરો તેમજ સ્ટાફને સંક્રમણથી બચાવી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.