@મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં વીજ કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા હોવાની બે જુદી જુદી ઘટનાઓ સામે આવી છે.અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જાલમખાંટના મુવાડા ગામે રહેતા ખાંટ અજિતભાઈ ગલાભાઈ નામના યુવક ને મોટર ચાલુ કરવા જતાં વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું તો અન્ય એક ઘટના બાયડ તાલુકાના અલવા કંપામાં સામે આવી છે.
અલવા કંપા માં રહેતા 21 વર્ષીય નિખિલકુમાર અમરતભાઈ પરમાર નામના યુવકને મકાનની છત પરથી વીજ કરંટ ઉતરતા યુવકને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. અરવલ્લી જિલ્લામાં બે જુદા જુદા બનાવોમાં વીજકરંટ લાગવાથી બે યુવકોના મોત થયા ના અહેવાલ સામે આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.