આણંદઃ આંકલાવના કોસિન્દ્રાના સીમ વિસ્તારમાં ઇટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતી ઉત્તરપ્રદેશની સગીરા સાથે ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું. સગીરા સાથે ત્રણ માસ પહેલા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. સગીર ગર્ભવતી બનતા ત્રણેય શખ્સોએ તેનું ગર્ભપાત કરાવ્યું હતું. આ ઘટના બાદ સગીરાએ આંકલાવના ડૉક્ટર અને ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.