![કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાએ કોરોનાને આપી મ્હાત, સતત બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો 3 9c43ca0ce18f799b5341aadd69dacc61 કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાએ કોરોનાને આપી મ્હાત, સતત બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/04/9c43ca0ce18f799b5341aadd69dacc61.png)
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કોરોનાને મ્હાત આપી છે.ખેડાવાલા SVP હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.ઈમરાન ખેડાવાલાનો બીજો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. હવે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાશે. તેમને આજે સવારે લગભગ 11 વાગ્યે અમદાવાદની SVP હોસ્પિટલમાંથી રજા અપાશે.
જણાવીએ કે ઈમરાન ખેડાવાલા અમદાવાદમાં ખાડિયા-જમાલપુર બેઠકના ધારાસભ્ય છે. તેમને 14 એપ્રિલે મોડી સાંજે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને ત્યારથી તેમની સારવાર ચાલી રહી છે.
આપને જણાવી દઈએ કે તેમને દાખલ થયાના નવ દિવસ બાદ રિપોર્ટ કરાયો હતો તે પોઝિટીવ આવ્યો હતો. પરંતુ થોડા દિવસ પહેલા તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, તો ગઈકાલે બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. જેથી તેમને હવે રજા અપાશે. તેમના પરિવારને પાંચ સભ્યોને પણ ચેપ લાગતાં તેઓ પણ સારવાર હેઠળ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.