ગજરાત રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં ૬૬૦૦ થી વધુ દર્દી નોધાઇ ચુક્યા છે ત્યારે અમદાવાદની svp હોસ્પીટલમાંથી એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનામાં સપડાયેલા અને છેલ્લા પંદર દિવસથી સારવાર હેઠળ રહેલા 54 દર્દીઓ સાજા થતા તમામ આજે SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
એસવીપી હોસ્પિટલમાંથી 54 કોરોનાના દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સારવાર બાદ તમામ દર્દીઓનો બીજો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા દર્દીઓને રજા આપવામાં આવી છે. સાથેજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના મહિલા ACP મીની જોસેફને પણ કોરોના નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.