લોકડાઉન – 4.0 માટે કેન્દ્ર સરકારની માર્ગદર્શીકા પર રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શીકા જેહાર કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા રાજ્યનાં ગુજરાતમાં ઝોન પ્રમાણે લોકડાઉનમાં છુટછાટ આપવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા કન્ટેન્ટમેન્ટ વિસ્તાર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ગુજરાતનાં 8 મહાનગર અને 33 જિલ્લાનાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારોની સરકાર દ્વારા સુચી જાહેર કરવામાં આવી છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી આ તમામ કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં આવશ્યક સિવાયની તમામ સેવા બંધ રહેશે તેવી સરકાર દ્વારા લોકડાઉન – 4.0ની માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે. કોરોનાનાં કેસની સંખ્યા વધુ હોય તેવા વિસ્તારનો કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ફેરફાર થવાની શક્યતાને પણ અવકાશ હોવાની જાણકારી સામે આવી રહી છે. ત્યારે ગાંધીનગર જીલ્લાના 302 ગામો પૈકી 36 ગામો કન્ટેઈન્મેન્ટ ઝોન હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
પાટનગરના 20 વિસ્તાર કન્ટેઈન્મેન્ટ ઝોન હેઠળ છે. જીલ્લા વહીવટી તંત્રએ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાટનગરના 30 સેક્ટર પૈકી 15 સેક્ટરના 20 વિસ્તાર કન્ટેઈન્મેન્ટ ઝોન હેઠળ હોવાનું સામે આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સવારે 8થી 3 વાગ્યા દરમિયાન જીવન જરૂરી ચીજોનું વેચાણ કરવા દેવામાં આવશે. નોન કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સરકારી ગાઈડ લાઈન પ્રમાણે કાર્યવાહી કરાશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….