કોરોનાનું સંક્રમણ ગુજરાતમાં વઘી જ રહ્યું છે, તો સાથે સાથે કોરોનાનાં કારણે મોતનો આંકડો પણ ગુજરાતમાં છેલ્લા લાંબા દિવસથી 30 કે 30 + આવી રહ્યો છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. ત્યારે સરકાર અને ગાંધીનગર તંત્રની ચિંતામાં વઘુ વઘારો કરતી વિગતો સામે આવી રહી છે. જી હા ગાંઘીનગર જીલ્લામાં આજે ફરી કોરોનાનાં કારણે બે લોકોના મોત નિપજ્યાનાં સમાચાર સામે આવી રહ્યા છે.
ગાંધીનગર જિલ્લામાં કોરોનાથી બે મોત નિરજ્યા છે તેમાંથી એક દર્દી દહેગામના નાંદોલમાં 85 વર્ષિય મહિલા હોવાનું સામે આવી રહ્યું છે, તો રાયસણમાં રહેતા 58 વર્ષિય પુરૂષનું મોત પણ નિપજ્યાનુ નોંધવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અતિયાર સુધીમાં જિલ્લામાં કુલ 184 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને આ બે મોત સાથે જીલ્લાનો કુલ મૃત્યુ આંક 8 પહોંચ્યો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….