સાબરકાંઠાનાં હિંમતનગરમાં ફરી કોરોનાને કારણે એક બેંક ઘક્કે ચડી ગઇ હોવાની વિગતો સામે આવી રહી છે. જી નહીં, કોઇ આર્થિક મામલાની વાત નથી. વાત છે કોરોનાનાં કહેરી સંક્રમણની. હિંમતનગરની સ્ટેટ બેંકની મુખ્ય શાખામાં ફરજ બજાવતા કેશિયરનો કોરોના પોઝિટિવ આવતા બેંકનો મોટા ભાગનાં સ્ટાફને કોરેન્ટાઇન કરવાની ફરજ પડી છે. જી હા આજ કારણે હિંમતનગરની બેંકનું કાર્ય ખોરંભે ચીડી ગયાનું સામે આવી રહ્યું છે. બેંકના 13 ઓફિસર સહિત 40 જેટલા બેંક કર્મચારીઓને હોમ કોરેન્ટાઇન કરાયા છે. સાથે સાથે તમામ કર્મચારીઓને કોરેન્ટાઇન કરાયા હોવાનાં કારણે આગામી સાત દિવસ સુધી બેંકનું કામ કાજ બંધ રહેશે. માટે આજથી લઈ 6 જુલાઈ સુધી બેંકનું કામકાજ બંધ રાખવાની ફરજ પડતા હિંમતનગરનાં અનેક સામાન્ય માણસો અને વેપારીઓ ફસાયા હોવા જેવી સ્થિતિ સર્જાઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….