જૂનાગઢનાં કેશોદમાં માતાએ તેના જ પુત્ર કુવામાં ઝંપલાવી મોતને વ્હાલું કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જાણવા મળી રહ્યું છે કે કેશોદના મોટી ઘંસારી ગામે પતિના મોતનો આઘાત લાગતા માતાએ તેનાં પુત્ર સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ મામલે કેશોદ પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
મહત્વનું છે કે આ પહેલા અગાઉ મૃતકના પતિએ પણ આપઘાત કર્યો હતો. કોરોના પોઝિટીવ આવતા ખાનગી હોસ્પિટલના છઠ્ઠા માળેથી કુદીને આપઘાત કર્યો હતો. હાલ સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયેલો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.