રાજકોટ જિલ્લાના જેતપુરના દેરડી નજીક આવેલા તળાવમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. તળાવમાં અજાણી મહિલાનો મૃતદેહ તરતો જોવા મળતા રાહદારીએ આ મામલે પોલીસને જાણ કરી હતી.
આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ અને સ્થાનિક તરવૈયાઓએ લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
આપને જણાવી દઈએ કે મહિલાની હત્યા કે આત્મહત્યા અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલાની ઓળખ માટે સ્થાનિક લોકોની મદદ લેવામાં અવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.