આમ તો દેશ સહિત વિશ્વભરમાં કોરોના કહેર મચાવી રહ્યો છે. દેશની વાત કરવામાં આવે તો જાણે ભારત કોરોનાનાં સંક્રમણ મામલે નંબર – 1 બનવાની રેસમાં પુરપાટ ઝડપે દોડી રહ્યું હોય તેવું આભાષિત થાય છે. ગુજરાતની વાત કરવામાં આવે તો કોરોનાનો તરખાટ રોજ બરોજ 500 જેટલા કેસ નવા ઉમેરી રહ્યો છે અને એવરેજ રોજ સરકારી આંક઼ડા પ્રમાણે 30 લોકોના મોત થઇ રહ્યા છે.
આજે પાટણ જિલ્લામાં કોરોનાએ કહેર મચાવ્યો હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. જી હા, આજે પાટણમાં વધુ એક મહિલાનું કોરોનાનાં કારણે મોત નિપજ્યું છે. શહેરની આનંદનગર સોસાયટીમાં રહેતા મહિલાનું કોરોનાનાં શિકાર બન્યા છે. મરણજનાર મહિલા ધારપુર હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ હતા. આજે થનાર મોત સાથે હવે પાટણ જીલ્લામાં કોરોનાથી મોતનો આંકડો 12 પર પહોંચ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….