લોકડાઉન દરમ્યાન પરપ્રાંતિય મજૂરોની દુર્દશા અંગે દેશની સુપ્રીમ કોર્ટે જાતે નોંધ લેતા ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. લોકડાઉનથી પરેશાન અને વિના કોઇ કામનાં કારણે ખરાબ જીવન જીવવા પર મજબૂર પ્રવાસી મજૂરોની સ્થિતિ પર ઉંડી ચિંતા વ્યક્ત કરતાં કોર્ટે જવાબ માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રમાં સરકાર, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારી છે અને ગુરુવાર સુધી જવાબ આપવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ અશોક ભૂષણ, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ન્યાયાધીશ એમ.આર. શાહની ખંડપીઠે મીડિયામાં આવી રહેલા સમાચારો બાદ જાતે નોંધ લીધી હતી. કોર્ટે કહ્યું કે, સળગતા તડકામાં રસ્તા પર ચાલતા કામદારોને મદદની જરૂર છે. કોર્ટે કહ્યું કે સરકારો દ્વારા કરવામાં આવતી વ્યવસ્થા પૂરતી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આનો જવાબ આપવો પડશે.
કોર્ટે કહ્યું કે, સરકારે પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પહોંચવામાં મદદ કરવી જોઈએ. તેમના માટે મફત મુસાફરી, રહેઠાણ, ભોજનની વ્યવસ્થા કરો. સરકારો દ્વારા આ અંગે તાત્કાલિક પગલા લેવા જોઈએ. આ કેસમાં ગુરુવારે ફરી એકવાર કોર્ટ સુનાવણી કરશે.
Supreme Court takes suo motu cognizance of plight of migrant labourers who are stranded in different parts of country. Court says there have been lapses on part of Centre&State govts&immediate measures are required to be taken to provide travel, shelter&food to migrant labourers. pic.twitter.com/qd8M6WnqF1
— ANI (@ANI) May 26, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.