બાંગ્લાદેશમાં સોમવારે ભયાનક બોટ અકસ્માતની ઘટના બની છે. આ બોટ અકસ્માતમાં 23 લોકોનાં મોત નીપજ્યાં હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે, ઘણા લોકો હજી ગુમ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બોટ અકસ્માતમાં ઓછામાં ઓછા 23 બોટ મુસાફરોનાં મોત નીપજ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે બુડીગાંગા નદીમાં બોટ બીજી બોટ સાથે ટકરાઈ હતી, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
આ સમયગાળા દરમિયાન કુલ 100 લોકો બોટમાં સવાર હતા. મૃતકોમાં છ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ છે. બાંગ્લાદેશની ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (બીઆઈડબ્લ્યુટીએ) ના વડા ગોલામ સાદિકે જણાવ્યું હતું કે સવારે મુસાફરોથી ભરેલી બોટ બીજી બોટ સાથે ટકરાઈ હતી, જેના કારણે તે પાણીની અંદર જ ડૂબી ગઈ હતી.
આ દુર્ઘટના સવારે 9.30 વાગ્યે બની હતી
બાંગ્લાદેશની એક ન્યૂઝ ચેનલે ફાયર સર્વિસ કંટ્રોલ રૂમના અધિકારી રોઝિના ઇસ્લામના હવાલાથી જણાવ્યું છે કે આ અકસ્માત ઢાકાના શ્યામબજાર પાસે સવારે 9.30 વાગ્યે થયો હતો. બીડબ્લ્યુટીટીએના ટ્રાન્સપોર્ટ ઇન્સ્પેક્ટરએ જણાવ્યું હતું કે મુનશીગંજથી સદરઘાટ તરફ મોર્નિંગ બર્ડ નામની બોટ જઇ રહી હતી, ત્યારે તે ચાંદપુરથી આવી રહેલ મિયુરી -2 નામની બોટ સાથે અથડાઈ હતી. આ ટક્કરમાં મોર્નિંગ બર્ડ નામની બોટ ડૂબી ગઈ.
કેટલાક લોકોએ જાતે તરીને પોતાના જીવ બચાવ્યો હતો, જ્યારે કેટલાકને બહાર કાઢવામાં આવ્યા હતા. વહીવટીતંત્રે કહ્યું, ‘કેટલા લોકોનો બચાવ થયો છે અને કેટલા લોકો ગુમ થયા છે તે જાણી શકાયું નથી. રાહત કાર્ય હજુ પણ ચાલુ છે. નેવી, કોસ્ટ ગોર્ડ અને ફાયર સર્વિસની ટીમો તૈનાત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.