શંકરસિંહ વિરોધપક્ષના નેતા પદેથી રાજીનામી આપ્યા બાદ હવે તેમના વેવાઈ બળવંતસિંહ રાજપુતે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. બળવંતસિંહ સાથે તેજશ્રીબેન પટેલ પણ પોતાનું રાજીનામું અધ્યક્ષ રમણલાલ વહોરાને આપ્યું છે. આ સાથે જ આ બંને નેતાઓએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.
ઉલ્લેખનિય છે કે, આગામી 8મીએ રાજ્યસભાની ત્રણ બેઠક પર ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસમાંથી અહેમદ પટેલે બુધવારે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ત્યારે હવે રાજીનામા બાદ બલવંતસિંહ રાજપૂત પણ રાજ્યસભામાં માટે ફોર્મ ભરશે.