અરવલ્લી
અરવલ્લીના બાયડમાં ઠાકોર સેનાના કાર્યકર્તાઓએ ભાજપનો વિરોધ કર્યો હતો. ઠાકોર સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થઇને ભાજપનું પૂતળાનું દહન કર્યું હતું. નોંધનીય છે કે ભાજપના નેતાના વિવાદાસ્પદ નિવેદનથી ઓબીસી સમાજના લોકો રોષે ભરાયા હતા અને ભાજપ નેતા પર રોષ ઠાલવીને વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ મોટી સંખ્યાઓમાં હાજર રહેલા ઓબીસી કાર્યકરોએ ભાજપના નેતા દ્વારા ઓબીસી સમાજના લોકોની માફી માંગવામાં આવે તેવી માંગ પણ કરી હતી..