કચ્છમાં ભૂકંપના આંચકાઓ ફરી ધરતી ધ્રુજાવી રહ્યા છે. આજરોજ વહેલી સવારે કચ્છમાં લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે આશરે 3.1 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જે બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા. આંચકો અનુભવાયો બાદ લોકોમાં હાલ ભયનો મહલો જોવા મળી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે કોઇ જાનહાનિ કે કોઇપણ બીજા પ્રકારના નુકસાન અંગેની માહિતી હાલ મળી નથી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ અંજારના દૂધઇથી 21 કિલોમીટર દૂર ઉત્તરે નોંધાયું છે.
મહત્વનું છે કે આ પહેલા કચ્છમાં 23મી જુલાઇના રોજ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની રિકટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.