રાજકોટનાં રેલનગર વિસ્તારમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. રેલનગર વિસ્તારમાં આવેલા અવાવરુ કુવામાંથી યુવતીની લાશ મળી આવી હોવાની ખબર વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઇ જતા, લોકોમાં ચર્ચાએ વેગ પકડ્યો હોવાનું જાવમાં આવી રહ્યું કે, આ હત્યા છે કે પછી આત્મહત્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, હાલ યુવતિની ઓળખ સામે આવી નથી, તો મૃતદેહને પણ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે કારણ કે જાણી શકાય કે આ હત્યા છે કે આત્મહત્યા અને યુવતી સાથે કશું અઘટીત તો નથી બન્યુંને. પોલીસ તમામ પાસાની ચકાસણી કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….