ચુકાદો/ માતા,પિતા અને દીકરાની હત્યા કરવાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ

સુરતઃ દેવાના ડુંગળ તળે દબાયેલા ઈમિટેશન જ્વેલરી બનાવનારા વ્યક્તિ, કે જેણે ઓક્ટોબર 2017માં માતા, પત્ની અને સાત વર્ષના દીકરાનું ગળું દબાવીને હત્યા કરી હતી તેને મંળવારે અહીંયાની સ્થાનિક કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. પરિવારના ત્રણેય સભ્યોની હત્યા કર્યા બાદ આરોપીએ પોતે પણ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેમાં તે નિષ્ફળ રહ્યો હતો. […]

Gujarat Surat
India law માતા,પિતા અને દીકરાની હત્યા કરવાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ

સુરતઃ દેવાના ડુંગળ તળે દબાયેલા ઈમિટેશન જ્વેલરી બનાવનારા વ્યક્તિ, કે જેણે ઓક્ટોબર 2017માં માતા, પત્ની અને સાત વર્ષના દીકરાનું ગળું દબાવીને હત્યા કરી હતી તેને મંળવારે અહીંયાની સ્થાનિક કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. પરિવારના ત્રણેય સભ્યોની હત્યા કર્યા બાદ આરોપીએ પોતે પણ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેમાં તે નિષ્ફળ રહ્યો હતો.
એડિશનલ સેશન્સ જજ પી એન દવેએ અલ્પેશ વજાણીને (ઉંમર 42) તેની પત્ની દીપાલી (ઉંમર 36), માતા ભારતી (ઉંમર 65) અને દીકરો માધવની હત્યા કરવા બદલ દોષી ઠેરાવ્યો હતો. અલ્પેશે ત્રણેયની હત્યા પિતા જિતેન્દ્ર વજાણી (ઉંમર 67) સાથે મળીને કરી હતી, જેમનું મૃત્યુ થોડા મહિના પહેલા ટ્રાયલ દરમિયાન થયું હતું.

કેસની વિગતવાર વાત કરીએ તો, અલ્પેશ દેવામાં ડૂબેલો હતો અને 2017માં તેની માતા ભારતીને બીમારીના કારણે બે મહિના સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં આર્થિક ભીંસમાં હતો. હતાશ અલ્પેશ અને તેના પરિવારના સભ્યોએ આપઘાત કરવાનું વિચાર્યું હતું. તેઓ રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા રાધા મીરા પાર્કમાં રહેતા હતા.

નક્કી કર્યા પ્રમાણે, અલ્પેશે 2017ની 15મી ઓક્ટોબરે રાતે પિતા જિતેન્દ્રની મદદથી પત્ની દીપાલી, માતા ભારતી અને દીકરા માધવનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યા હતા. પરિવારના ત્રણ સભ્યોની હત્યા બાદ, અલ્પેશે સ્યૂસાઈડ નોટ લખી હતી અને ઘરમાં મૂકી દીધી હતી. તેણે અને તેના પિતાએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હિંમત કરી શક્યા નહોતા. તેથી, તેઓ ઘર છોડીને ભાગી ગયા હતા અને રેdenલવે ટ્રેક પર જીવનનો અંત લાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ ત્યાં પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા. બાદમાં તેમણ શહેરમાં રખડવાનું શરુ કર્યું હતું. બે દિવસ બાદ, અલ્પેશના પાડોશીઓએ તેના ઘરમાં દુર્ગંધ આવી રહી હોવાની પોલીસ ફરિયાદ કરી હતી.