રાજકોટમાં ગુનાખોરીના કિસ્સા જાણે સામાન્ય થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં હત્યા બનાવ સામે આવ્યો છે. દૂધસાગર રોડ પાસેની લાખાજીરાજ સોસાયટીમાં ભાજપના કાર્યકર આરીફ ગુલામહુશેન ચાવડાની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. રાજકોટ ડેરીના કર્મચારી, તેના પુત્ર અને ભત્રીજાએ બે વર્ષથી ચાલતી તકરારને હત્યાનો અંજામ આપ્યો હતો.
દૂધની વાનગીઓ બનાવતા શખ્સ સાથે દૂધની વાનગીઓમાંથી આવતી દુર્ગંધ અંગે માથાકૂટ ચાલતી હોય જે સંદર્ભે સમજાવવા જતા સામા પક્ષના પિતા-પુત્ર સહીત ત્રણ શખ્સોએ પાછળથી છરીના ઘા ઝીકી દેતા મુસ્લિમ ભાજપ અગ્રણીને ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા સામા પક્ષના બે હત્યારાઓને પણ ઇજા થઇ થયા હતા. બંનેને સારવાર અર્થે પોલીસ જાપ્તા હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા છે હત્યાની ઘટનાને પગલે ભારે સનસનાટી મચી જવા પામી છે.
આ બનાવ અંગે બન્ને પક્ષની ફરિયાદ નોંધવા તજવીજ ચાલી રહી છે. મૃતક આરીફ ચાવડા ચારભાઇમાં મોટો હતા તેમજ ભાજપના લધુમતિ મોરચાના કાર્યકર હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.