Ahmedabad News: ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રામાં દર વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું સરસપુરથી ભરવામાં આવે છે. ભક્તો ભગવાનનું મામેરું ભરવા વર્ષો પહેલા નામ નોંધાવતા હોય છે ત્યારે આ વર્ષે 147મી રથયાત્રામાં ભગવાનના મામેરાના યજમાન માટે સરસપુર રણછોડરાય મંદિર ખાતે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભગવાન જગન્નાથના મામેરાને લઈ અમદાવાદના સરસપુર વિસ્તારમાં જગન્નાથ યાત્રાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. કેટલાક યજમાનો દ્વારા મામેરુ ભરવા માટે નામ નોંધાવવામાં આવ્યા હતા. રણછોડરાય મંદિરમાં ટ્રસ્ટીઓની હાજરીમાં ચિઠ્ઠી ઉછાળીને ડ્રો કરવામાં આવ્યો હતો. ડ્રોમાં વિનોદ પ્રજાપતિનું નામ ખુલ્યું છે.
આ પણ વાંચો:SHE ટીમે ગુમ મહિલાને શોધી પરિવાર સાથે મેળાપ કરાવ્યો
આ પણ વાંચો:ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યુ, એક્ટિવ કેસ 53ને પાર, એકનું મોત
આ પણ વાંચો:રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સંચાલીત પ્રાણી સંગ્રલાયમાં સફેદ વાધના બે બચ્ચાનો જન્મ થયો
આ પણ વાંચો:કોંગ્રેસમાં ગાબડા યથાવત્: સાબરકાંઠાના મહામંત્રી ડી.ડી.રાજપૂતે પક્ષ છોડ્યો