તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યમાં થયેલા નુકશાનના અહેવાલ
- તાપીમાં વાહન ચાલકની ઉપર ઝાડ પડી જતાં તેનું મોત નિપજ્યું હતું.
- ઉનામાં બીએસ એનએલ ટાવર ધરાશાય થયું હતું.
- જૂનાગઢમાં બે માળનું મકાન ધરાશાય થયું હતું, કોઈ જાનહાનિ નહિ.
- મહેસાણા, ઉના, મહુવા, દીવ તેમજ મોરબીમાં વીજળી ગુલ થઈ હતી.
- ભાવનગરમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ, અનેક વૃક્ષો થયા ધરાશાય
- દીવમાં ભારે વરસાદ, અનેક જગ્યાએ પતરા તેમજ હોડિગ્સ ઉડ્યા
- તેજ પવનોને કારણે કેવડીયા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પતરા ઉડ્યા હતા, જોકે કોઈ જાનહાનિ થઇ ન હતી.
- વાવાઝોડાના પગલે રાજ્યના 78 તાલુકામાં વરસાદ
- ઉંમરગામમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ ખાબક્યો
- ઉંમરગામમાં રાત્રે 8થી 10 માં ત્રણ ઈંચ વરસાદ
- ઉનામાં આખા દિવસનો અઢી ઈંચ વરસાદ
- મહુવામાં આખા દિવસનો ત્રણ ઈંચ વરસાદ
- વાંકાનેર, હળવદમાં લાઈટ ગુલ થઈ