- લાલપુર નજીક સીટી રાઈડની બસે મારી પલ્ટી
- અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત
- અન્ય 3 લોકો થયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત
- 15 થી વધુ મુસાફરો થયા ઇજાગસ્ત
- જુનાગઢથી સાવરકુંડલા જઈ રહી હતી સીટી રાઈડ
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે, આજ શનિવાર ગોઝારો સાબિત થયો છે. વડોદરાના પાદરા ખાતે એમ્સ ઓક્સીજન કંપનીમાં ભયંકર બ્લાસ્ટ થતા 6 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. તો બીજી બાજુ જૂનાગઢના વિસાવદર નજીક સીટી રાઈડની બસને અકસ્માત નડતા 5 લોકોના દર્દનાક મોત નિપજ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના વિસાવદર નજીક સીટી રાઈડની બસનો અકસ્માત થયો છે. જેમાં 5 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. સુત્રોથી મળતી મ્માહીતી મુજબ આ આંકડો હજુપણ વધી શકે છે. જ્યારે 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બસમાં કુલ 50 જેટલા મુસાફરો સવાર હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે તાત્કાલિક અસરથી દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ સાથે જ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણકારી મળતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસની ઉપરનું છાપરું તૂટીને બસથી છુટું પડી ગયું હતું. બસનો ડ્રાઇવર નશામાં બસ ચલાવતો હોવાનો મુસાફરો આક્ષેપ કર્યો હતો. તો સાથે સાથે બસમાં કેપેસિટી કરતા વધુ મુસાફરો સવાર હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.