Not Set/ કચ્છમાં કાળમુખો દુષ્કાળ, કચ્છના 20 પૈકી 17 ડેમો તળિયાઝાટક, ડેમો બન્યા મેદાન

મંતવ્ય ન્યૂઝ, કચ્છમાં કાળમુખા દુષ્કાળની એવી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે કે વાત ન જ કહો. જિલ્લામાં પાણીથી સદાય હર્યા ભર્યા રહેતા મુખ્ય 20 ડેમો પૈકી 17 ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે. ડેમમાં એક બુંદ પણ પાણી નથી. ડેમ જાણે સૂકા મેદાન બની ગયા છે. હાલની સ્થિતિમાં ડેમ સૂકા મેદાન જેવો થઈ ગયો છે. અજાણ્યો […]

Top Stories Gujarat Others
WhatsApp Image 2019 05 04 at 5.04.41 PM કચ્છમાં કાળમુખો દુષ્કાળ, કચ્છના 20 પૈકી 17 ડેમો તળિયાઝાટક, ડેમો બન્યા મેદાન

મંતવ્ય ન્યૂઝ,

કચ્છમાં કાળમુખા દુષ્કાળની એવી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે કે વાત ન જ કહો. જિલ્લામાં પાણીથી સદાય હર્યા ભર્યા રહેતા મુખ્ય 20 ડેમો પૈકી 17 ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે. ડેમમાં એક બુંદ પણ પાણી નથી. ડેમ જાણે સૂકા મેદાન બની ગયા છે. હાલની સ્થિતિમાં ડેમ સૂકા મેદાન જેવો થઈ ગયો છે. અજાણ્યો વ્યક્તિ જ્યારે બોર્ડ વાંચે ત્યારે તેને ખબર પડે અહીં ડેમ છે. બાકી તો અહીં સૂકા મેદાન જેવો માહોલ સર્જાયો છે.

WhatsApp Image 2019 05 04 at 5.04.41 PM 1 કચ્છમાં કાળમુખો દુષ્કાળ, કચ્છના 20 પૈકી 17 ડેમો તળિયાઝાટક, ડેમો બન્યા મેદાન
તળિયાઝાટક થયા ડેમ

કચ્છમાં ડેમની પરિસ્થિતિની જો વાત કરીએ તો સૌથી વધુ ટપ્પર ડેમમાં 70 ટકા જ્યારે

સુવઈ ડેમમાં 24.76% ,

ફતેહગઢ ડેમમાં 40.86%,

ગોધાતડ ડેમમાં 0.35%,

સાંન્નધ્રો ડેમમાં 2.41% ,

નરા ડેમમાં 0.70% ,

ભૂખી ડેમમાં 1.71% ,

કંકાવતી ડેમમાં 1.95% ,

મથલ  ડેમમાં 1.46%,

ગજણસર ડેમમાં       10.99%,

ડોણ ડેમમાં 3.07% પાણી છે. જ્યારે ભુજ નજીક આવેલો રુદ્રમાતા રુદ્રાણી ડેમ, પાવરપટ્ટીમાં આવેલો નિરોણા ડેમ, કાયલા ડેમ, કાસવતી ડેમ, મુન્દ્રામાં આવેલો ગજોડ ડેમ, જંગડીયા, બેરાચીયા, કાલાઘોઘા, અબડાસામાં આવેલો મિટ્ટી ડેમ કોરો કટ્ટ છે.

WhatsApp Image 2019 05 04 at 5.04.41 PM 2 કચ્છમાં કાળમુખો દુષ્કાળ, કચ્છના 20 પૈકી 17 ડેમો તળિયાઝાટક, ડેમો બન્યા મેદાન
રૂદ્રમાતા સિંચાઇ યોજના

આ તો મુખ્ય ડેમોની વાત થઈ પરંતુ કચ્છના નાની સિંચાઇના ડેમો, જિલ્લાના 100 થી વધુ તળાવો, કૂવાઓ, બોર સૂકા ભટ્ટ બની ગયા છે. ચોમાસાની સીઝનમાં રાજ્યમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં વરસ્યો હતો. કચ્છમાં પાણીની તંગી તો હતી જ તેવી પરિસ્થિતિમાં વરસાદ ન વરસતા લોકલ સોર્સ ખૂટી પડ્યા છે સાથે સરહદી વિસ્તારોમાં પાણી ખૂટી પડ્યા છે. જે એક વાસ્તવિક પરિસ્થિતિ છે. ખુદ સરકારે કબુલ્યું છે કે, કચ્છમાં માત્ર 2 ટકા પાણી છે. જિલ્લામાં 25 લાખની વસ્તી તેમજ 20 લાખ પશુઓ સામે 2 ટકા પાણી કેટલી જરૂરિયાત સંતોષી શકે એ સમજી શકાય એમ છે ત્યારે જિલ્લામાં પાણી પહોંચતું કરાય તે સમયનો તકાજો છે.