રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સંઘ એટલે કે, રાલોસ નાં ગવર્નીગ બોડીની ચૂંટણીઓ પૂર્ણ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં રોલોસનાં વર્તમાન ચેરમેન અને ભાજપના સહકારી આગેવાન નીતિન ઢાંકેચાનો હાથ ઉપર જોવામાં આવ્યો હતો. પરંતુ તે પણ નોંધનીય બાબત છે કે, રાલોમાં ભાજપનાં જ બે જૂથ આમને સામને હોવાનાં કારણે હવે રાજકોટ લોધકા સંઘના ચેરમેન કોણ બનશે? તેના પર બઘાની નજરો ટકેલી છે.
ચેરમેન કોણ તેની જાણ પણ ટુંક સમયમાં જ થઇ જશે કારણ કે,રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સંઘ – રાલોનાં ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આગામી 13 ઓક્ટોબરના રોજ રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સંઘ – રાલો નાં ચેરમેન અને વાઈસ ચેરમેન કોણ તે સામે આવી જશે.
રાલોની આ ચૂંટણી અનેક રીતે અને ખાસ કરીને રાજકીય કદની રીતે ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટેની રેસમાં ભાજપનાં જ બે જૂથ વચ્ચે મોટો જંગ જોવામાં આવે તોવો અંદાજ છે. આપને જણાવી દઇએ કે, ભાજપનાં જ બે જૂથ એટલે કે, સહકારી આગેવાન અને રાલોનાં વર્તમાન ચેરમેન નીતિન ઢાંકેચા જૂથ અને રાજકોટનાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી જૂથ વચ્ચે ખરાખરીનાં આ જંગમાં ખેંચતાણ જોવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….