પાટીદાર અનાત આંદોલન સમિતિના કન્વીનર કેતન પટેલને રાજદ્રોહના કેસમાં મુક્ત કરવામાં આવ્યા છે. કેતન પટેલે કરેલી અરજી સેશન્સ કોર્ટે મંજૂરી રાખી છે તો આ સાથે કેતન પટેલને સરકારી સાક્ષી બનાવવામાં આવશે. આ વાતને લઈને હાર્દિક પટેલને ફટકો પડયો છે. મહત્વનું છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ સહિત તેના પાંચ સાથીઓ પર રાજદ્રોહનો ગુનો દાખલ થયો હતો અને તેમને લાંબા સયય સુધી જેલમાં રહેવું પડયું હતું.