રામદેવ બાબાએ જાણાવ્યું કે એક વ્યક્તિ સ્વસ્થ રહેવા માટે પોતાની દિનચર્યા, ખાવા-પીવાની આદતોને કાબુમાં રાખી શકે છે. પૌષ્ટિક આહાર અને યોગ કરીને માનવ શરીર ૪૦૦ વર્ષ સુધી જીવિત રહી શકે છે.
રામદેવ બાબા ૧૨ માં નેશનલ ક્વોલીટી કોન્કલેવમાં કહ્યું કે, માનવ શરીર એવું બન્યું છે કે, તે ૪૦૦ વર્ષ ચાલે, પરંતુ મનુષ્ય વધારે ભોજન અને ખરાબ જીવનશૈલીથી પોતાના જ શરીર પર અત્યાચાર કરે છે.
બાબા રામદેવે માનવ જીવનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, માનવ શરીર આવી રીતે બન્યું છે કે, ૪૦૦ વર્ષ સુધી ચાલી શકે છે, પરંતુ ખરાબ જીવનશૈલીના કારણે આ બીમારીનો શિકાર થઇ જાય છે અને તેનો સમય પહેલા જ અંત થઇ જાય છે.
બાબા રામદેવ એ દાવો કર્યો કે યોગ થી ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતાનું વજન ૩૮ કિલો ઘટાડયુ છે.