ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બનતો જોઈ શકાય છે. રાજીના દરેક જિલ્લાનેકોરોને પોતાની પકડમાં જકડી રાખ્યું છે. આજરોજ વડોદરા મનપાએ પાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા ખાતે 96 પોઝિટીવ કેસ નોંધાયા છે. જે સાથે વડોદરા ખાતે અત્યાર સુધી નોધાયેલા કુલ કેસનો આંક 4572 પર પહોંચી ગયો છે.
નોધનીય છે કે આજ રોજ વડોદરા ખાતે વડુ ત્રણ દર્દીઓના કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. જે સાથે કોરોનથી મૃત્યુ પામનાર દર્દી ઓની સંખ્યા 87 પર પહોચી ચૂકી છે. વડોદરામાં આજે વધુ 31 દર્દીને હોસ્પિટલમાંથી આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3456 દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 1029 એક્ટિવ કેસ છે, જે પૈકી 143 ઓક્સિજન ઉપર અને 50 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 836 દર્દીની હાલત સ્થિર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.