વડોદરા મનપાએ આજરોજ જાહેર કરેલા કોરોના સંક્રમિતોના આંક પ્રમાણે છેલ્લા 24 કલાકમાં વડોદરા ખાતે 95 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે જીલ્લામાં કુલ કોરોના પોઝિટીવ આંક 4476 ઉપર પહોચી ચૂક્યો છે. વડોદરા ખાતે આજરોજ 79 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધી વડોદરામાં 3425 દર્દી રિકવર થયાં છે.
નોધનીય છે કે, વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનાં કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. પાદરા, કરજણ, ડભોઇમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. નંદેશરી, રણોલી, સમિયાલા, દશરથમાં કેસો વધ્યાં છે. કોટણા, અનઘડ, ખટંબા, કંડારીમાં પણ કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. કોરોનાએ આજે વધુ 2 લોકોનો ભોગ લીધો છે. અત્યાર સુધી વડોદરામાં કોરોનાથી 84 લોકોના મોત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.