કહાવત છે ને કે, “લોભી હોય ત્યાં લૂટારા ભૂખે ન મરે”. બસ આવુ જ કંઇક જોવામાં આવ્યું મહેસાણા-વિસનગરમાં, જ્યારે સામે આવ્યું કે એક ફાઇનાન્સ કંપની લોકોનાં અધધધ 300 કરોડ લઇને છનનન થઇ ગઇ છે. લોકો રાતો રાત લાખો પતિ થઇ જવાની લાલચે, પોતાનાંં પરસેવાનાં અને સાચી મહેનતનાં પૈસા થોડાક વધુ વળતરની લાલચમાં ઘૂતારાઓને સહર્ષ આપી દે છે અને પછી……
મહેસાણામાં એર ફાઇનાન્સ કંપનીનું ઉઠમણું થયું છે. ડિપોઝિટ પર માસિક 10-15 ટકા વ્યાજ આપવાની લાલચ આપી એર ફાઇનાન્સ કંપીનીએ વિસનગરમાં કંપની ખોલી હતી. લોકો દ્વારા લાલચમાં આવી અધધધ ડિપોઝીટો કંપનીમાં મુકવામા આવી. અને દર વખતની જેમ કંપની બધું તળીયા ઝાટક કરી ઉચાળા ભરી ગઇ.
લોકો દ્વારા બાદ પોલીસ ફરિયાદ થતા તમામનાં મોબાઈલ બંધ બતાવી રહ્યા છે. એર ફાઇનાન્સ કંપની 300 કરોડનું ઉઠમણું કરી ફરાર થઈ ગઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. ત્યારે પોલીસે ફાઇનાન્સ પેઢીના ભાગીદારો વિરૂદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.