કોરોના વાયરસના કહેર સામે સમગ્ર દેશ લડી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં આજે કોરોના પોઝિટિવ 3 દર્દીઓના મોત થયા હતા જેમાં સંગમ ચાર રસ્તા પાસે રહેતા અને ઘડિયાળીપોળમાં દુકાન ધરાવતા 39 વર્ષના જ્વેલર્સ હિરેન સુરેશભાઇ સોની, વાડી કુંભારવાડામાં રહેતા 56 વર્ષના શાકભાજીના વેપારી હિરાલાલ લાલચંદ સુહંદા અને વારસીયામાં રહેતી એક 39 વર્ષની મહિલા લતાબેન કમલેશભાઇ લાલવાણી પણ મોત થયુ હતુ.
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવામાં આવેલા કોરોનાના 140 સેમ્પલમાંથી 34 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. તે સાથે કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1270 થઇ છે જેમાંથી 108ના મોત થયા છે જ્યારે 767ને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.