વલસાડમાં છેલ્લા 24 કલાકમાં કાળમુખા કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જી હા, કોરોનાનાં કારણે વલસાડમાં પાછલા 24 કલાકમાં જ 4 કોરોના દર્દીનાં મોત નીપજ્યા છે. મરણજનાર 4 દર્દીઓમાંથી 3 પુરુષ અને 1 મહિલા હોવાની વિગતો સામે આવી રહી છે. મરણજનાર દર્દીઓની વિગતો જોવામાં આવે તો 4 દર્દીમાં એક 49 વર્ષીય પુરુષ, એક 70 વર્ષીય પુરૂષ, એક 57 વર્ષીય મહિલા અને એક 60 વર્ષીય પુરુષ સામેલ હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનાં કારણે મોતની સંખ્યને લઇને તપાસ શરૂ કરાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….