દસ દિવસ સુધી વિઘ્નહર્તાની સ્થાપના-પૂજા-અર્ચના કર્યા બાદ મંગળવારે અનંત ચૌદશના દિવસે અમદાવાદીઓએ
વિધ્નહર્તાને વિદાય આપી હતી.સાબરમતી રિવરફન્ટ ખાતે લોકોએ ઢોલ-નાગારા સાથે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું બીજા દિવસે બુધવારે સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્લુડોઝરમાં મૂર્તિઓ ઉપાડી ડમ્પરમાં નાંખવામાં આવી હતી ગણેશજીને AMCએ આવી વરવી વિદાય આપી.સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પવિત્ર વિસર્જન કુંડના સર્જન કરવામાં આવ્યા હતા. આ પવિત્ર વિસર્જન કુંડમાંથી ગણેશજીની મૂર્તિઓને જેસીબીથી નિકાલ કરવામાં આવ્યો હતો. નિકાલ કરવાના દ્રશ્યો જોઈને ગણેશ ભક્તો ફરી ક્યારેય આવી જગ્યાએ વિસર્જન કરવાનું નહીં વિચારે. દુઃખની વાત તો એ છે કે જેને ભગવાન માનીને મૂર્તિકાર અપાયા બાદ વિસર્જન કરી ખંડિત મૂર્તિઓને આ રીતે કુંડોમાંથી ખસેડવામાં આવી તે લોકોની આસ્થાને ઠેસ પહોંચે તેવી હતી.