નવી દિલ્હીઃ લાંબા સમયથી સમાજવાદી પાર્ટીમાં ઉભો થયેલો વિવાદ ખતમ કરવાના સમગ્ર પાર્ટી પ્રયાસ કરી રહી છે. ગુરુવાર મોડી રાત સુધી લખનઉમાં સમાધાન કરવાના પ્રયાસ માટે બેઠેકોનો દોર ચાલુ રહ્યો હતો. આ બેઠકમાં મુલાયમ સિંહ અખિલેશ યાદવ અમર સિંહ અને શિવપાલ યાદવ હાજર હતા. આ વચ્ચે શિવપાલ યાદવ અખિલેશને મળવા માટે તેના ઘરે ગયા હતા. તેમજ શિવપાલ યાદવ અત્યાર મુલાયમ સિંહને મળવા પહોચ્યા હતા. અમર સિંહ પણ ત્યાં હાજર છે. સપાના બંને જુથ વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલું છે. ગમે ત્યારે મોટી જાહેરાત થઇ શકે છે.