ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ સતત બેકાબુ બની રહ્યો છે. ત્યારે રાજકીય વર્તુળોમાં પણ કોરોનાએ હાહાકરા મચાવ્યો છે. કોગ્રેસ અને ભાજપના અનેક ધારાસભ્યો અને કાર્યકર્તાઓ કોરોનાનો શિકાર બની ચુક્યા છે. છતાય રાજકીય નેતાઓમાં કોરોનાનો ભય જોવા નથી મળી રહ્યો. આવું જ કઈક સુરત ખાતે બન્યું છે. સુરત મનપા ના કોર્પોરેટર અમિત રાજપૂત કોરોના ગ્રસ્ત બન્યા હતા. અને તેમના સ્વસ્થ થતા જ તેમના સર્થ્કો ઉત્સાહ માં આવી હ્ગ્યા હતા. અને તેમની કોરોના જીતને ઉત્સવમાં ફેરવી દીધી હતી.
અમિત રાજપુતના સ્વાગતમાં કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટર્ન્સ અને કોરોના ગાઈડ લાઈન્સ ભૂલી ગયા હતા. કોરોનામુકત થતાં કોર્પોરેટરના સ્વાગતમાં કોરોના ગાઇડલાઇનનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સ્વાગત માટે ઉમડયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.