Shri Nitya Swarupadasji Swami : સરધારમાં એક દિવ્ય ધામ બનાવનાર અને ભવ્ય મંદિરના નિર્માણની ભેટ આપનાર સદગુરુ શાસ્ત્રી પૂજ્ય શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી એ અનેક સેવા પ્રકલ્પો સાકાર કર્યા છે અને અનેક યુવાનોના જીવનનો પરિવર્તિત કર્યા છે, લોકોને ભક્તિના માર્ગે વળવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે .
પૂજ્ય નિત્ય સ્વરૂપદાસ સ્વામી શ્રી (Shri Nitya Swarupadasji Swami) ની એકમાત્ર અમીદ્રષ્ટિના માધ્યમથી સરધાર (SARDHARA) ગામ આજે “સરધાર ધામ” બન્યું છે ત્યાં ભવ્યાથી ભવ્ય મંદિરનું નિર્માણ કરી અને ઠાકોરજીને બિરાજમાન કરી એ મંદિરના પ્રકલ્પો અને મંદિરના માધ્યમથી અનેક લોકોને ભક્તિ ભાવ માં જોડિયા છે, ત્યારે સરધાર ના પૂજ્ય નિત્ય સ્વરૂપદાસ સ્વામી દરરોજ ઘર સભા ના માધ્યમથી અનેક લોકોના જીવનને પરિવર્તિત કરવાના માધ્યમ બન્યા છે. ૧૦૦૦ ની ઘર સભા નું આયોજન જ્યારે એમને આફ્રિકાના નાયરોબી ખાતે કરવામાં આવ્યું હતું .
આ ૧૦૦૦ ની ઘરસભા માં અનેક લોકોએ કથામૃત નું રસપાન કર્યું હતું. ઓનલાઈન (ONLINE) ના માધ્યમથી પણ અનેક ભક્તો એ આ રસમૃત માણયો હતો, 110 થી વધુ સંતોની સાથે હજારો હરિભક્તો ના સાનિધ્યમાં 1,000 ની ઘર સભા નું આયોજન આફ્રિકાના નાયરોબી સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું , પૂજ્ય નીત્યસ્વરૂપ દાસ સ્વામી શ્રી અનેક સેવા ના પ્રકલ્પોને સાકાર કરી અનેક લોકોના જીવનને પરિવર્તિત કરી અને ભક્તિ માર્ગે વાળ્યા છે, ત્યારે 1000મી ઘર સભા ના માધ્યમથી ભવિષ્ય મા ધર્મભક્તિના ઉજાગર કરવાના તેઓ હંમેશા ભેખી રહ્યા છે , ત્યારે આફ્રિકા ખાતે દિવ્ય અને ભવ્ય માહોલ માં ઉજવણી કરી હતી .