અમરેલી જિલ્લા દૂધ સંઘમાં 17 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. અમરેલી જિલ્લા દૂધ સંઘની ચૂંટણી માટે 8 જુલાઈએ ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ માટે 30 જુલાઈએ ચૂંટણી યોજાવાની હતી. પરંતુ તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં, હવે ચૂંટણી યોજવાની જરૂર પડશે નહીં.
ઉલ્લેખનીય છે કે, કુલ 17 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જે તમામ 17 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. ચૂંટાયેલા ઉમેદવારોમાં કેન્દ્રીય મંત્રી પુરષોતમભાઈ રૂપાલા અને ભાજપના વરિષ્ઠ નેતા દિલીપભાઈ સંઘાણીનો પણ સમાવેશ થાય છે.
દર વખતે જિલ્લા દૂધ સંઘની ચૂંટણીમાં દર વખતે તમામ ઉમેદવારો બિનહરીફ જ ચૂંટાય છે અને આ પરંપરા પણ યથાવત રહી છે. ભાજપના નેતા દિલીપભાઈ સંઘાણીએ તેને માલધારીઓ અને પશુપાલકો માટે કરેલા કામોની જીત ગણાવી છે.
બિનહરીફ જાહેર થયેલા નામો આ મુજબ છે
1.દિલીપ સંઘાણી 2.પરષોતમભાઈ રૂપાલા 3.અશ્વિનભાઈ સાવલિયા 4.મુકેશભાઇ સંઘાણી 5.ભાવનાબેન ગોંડલિયા 6.રાજેશભાઈ માંગરોળિયા 7.ચંદુભાઈ રામાણી 8.રેખાબેન હરેશભાઈ કાકડિયા 9.ઠાકરશીભાઈ શિયાણી 10.ભાનુબેન બુહા 11.અરુણાબેન માલાણી 12.અરુનભાઇ પટેલ 13.ભાવનાબેન સતાસિયા 14.રામજીભાઇ કાપડિયા 15.જયાબેન રામાણી 16.કંચનબેન ગઢીયા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….