ગુજરાત,
સામાન્ય દિવસોમાં પણ તોફાની રહેતો સોમનાથનો દરિયો જ્યારે વાવાઝોડામાં સામેલ થાય ત્યારે મહાદેવનો જ આશ્રય રહે છે તેવું યુગો યુગોથી સોમનાથનું બંદર ઇતિહાસના માધ્યમથી દુનિયાને જણાવતું જ આવ્યું છે. જ્યારે માછીમારો દરિયો ખેડવા જાય ત્યારે તેને દરિયા વિશે અવગત કરવા માટે અલગ અલગ સિગ્નલ લગાવીને ચેતવણી આપવામાં આવે છે.
જેમ સિગ્નલનો અનુક્રમ વધુ તેમ દરિયામાં તોફાનની તીવ્રતા વધુ. એ રીતની ચેતવણી માછીમારો દીવાદાંડી જોઇને મેળવતા હોય છે. વેરાવળ અને નવલખી બંદરે 2 નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જે અનુસાર દરિયો હજુ તોફાની બનશે. અને માછીમારોએ ભયાનક વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે.
3 નંબરનું સિગ્નલ દર્શાવે છે કે વાવાઝોડાવાળી હવાથી બંદર ભયમાં છે. અને ચાર નંબરનું સિગ્નલ બંદર છોડવાનો આદેશ ગણાય છે. વેરાવળ બંદરે ટ્રાંસમિટર સેટ સાથે સિગ્નલ લાઇટની તૈયારી સાથે તંત્રની સજ્જતા જોઇ શકાય છે.