- યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીને રાહત
- ગુજરાતના 100 યુવાનોને પરત લાવવાની વ્યવસ્થા
- આવતીકાલે 100 વિદ્યાર્થી ગુજરાત પહોંચશે
- ભારતના 470 વિદ્યાર્થી રોમાનિયા પહોંચ્યા
- 470 પૈકી 100 વિદ્યાર્થી ગુજરાતના છે
રશિયાએ યુક્રેન પર ગુરૂવારે હુમલો કરી દેતા પરિસ્થિતિ વધારે વણસી હતી,અને હાલમાં પણ યુદ્વ ચાલુ છે તેવા સંજોગોમાં 16 હજાર ભારતીયો ત્યાં ફસાયેલા છે તેનમને બહાર કાઢવા માટે ભારત સરકારે કમરકસી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ મામલા પર નજર રાખી રહ્યા છે, યુક્રેનમાંથી ભારીતયોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિધાર્થીઓને મોટી રાહત થઇ છે. ગુજરાતના 100 વિધાર્થીઓને પરત લાવવાની વ્યવસ્થા થઇ ગઇ છે અને આવતીકાલે આ વિધાર્થીઓ ગુજરાત પરત આવશે,ભારતના કુલ 470 વિધાર્થીઓ બોર્ડર પાર કરીને રોમાનિયા પહોંચ્યા હતા. આ વિધાર્થીઓની કુલ સંખ્યામાંથી 100 વિધાર્થીઓ ગુજરાતના છે.
યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીય યુવા વિદ્યાર્થીઓમાં ગુજરાતના 100 જેટલા યુવાન વિદ્યાર્થીઓને ખાસ વિમાન દ્વારા હેમખેમ વતન પરત લાવવાની વ્યવસ્થા કરવા બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો હ્રદયપૂર્વક આભાર માનતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ.
— CMO Gujarat (@CMOGuj) February 25, 2022