ગુજરાતનાં GAS કેડરનાં અધિકારીઓને સરકાર દ્વારા દિવાળી ભેટ આપવામાં આવી હોય તેમ 12 GAS કેડરના અધિકારીઓનું પ્રમોશન આપવામાં આવ્યું છે. 12 અધિકારીઓનું IAS તરીકે પ્રમોશન સરકાર દ્વારા પ્રમાણીત કરવામાંં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યના ગેસ કેડરના 12 અધિકારીઓની IAS માટે પસંદગી કરી છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના ચાર અધિકારીનો પણ સમાવેશ થાય છે. ટૂંક સમયમાં રાજ્ય સરકાર આ અધિકારીઓના પ્રમોશનનો ઓર્ડર રિલીઝ કરશે. પ્રમોશનની સાથે આ તમામ અધિકારીઓની બદલી પણ થશે. IAS માટે પસંદ થયેલા અધિકારીઓમાં….
આ અધિકારીને મળ્યું GASમાંથી IASનું પ્રમોશન
- બી.જી પ્રજાપતિ,
- ડી.ડી કાપડીયા
- ડી.એ.શાહ,
- કે.એલ.બચાણી
- કે.એન.શાહ,
- ટી.વાય ભટ્ટ
- જી.એસ.પરમાર,
- એમ.એન. ગઢવી
- એન.એ નીનામા,
- એચ.જે દેસાઈ
- આર.કે. મેહતા,
- કે.ડી.લાખાણી
ગુજરાત સરકાર દ્વારા આ તમામ અધિકારીને દિવાળી પહેલા પ્રમોશન આપવામાં આવતા, એક પ્રકારે દિવાળી ભેટ આપવામાં આવી છે
જુઓ પ્રમોશનનો સમગ્ર અહેવાલ………..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.