જમ્મુ,
જમ્મુ અને કાશ્મીરમાં મંગળવારે થયેલાં એક રોડ અકસ્માતમાં 12 યાત્રીકોના મોત થયા છે.જમ્મુ પાસે કિશ્તવાડ પાસે ડુલ વિસ્તારમાં યાત્રીઓથી ભરેલી બસ પર ભેખડ પડતાં તે ચિનાબ નદીમાં પડી જતાં 12 યાત્રિકો મોત થયા હતા,જ્યારે બે જણા ગંભીર રીતે ઘવાયા હતા.
અહીંના એસ.પી. વૈદ જણાવે છે કે, કિશ્તવાડમાં બીજો મોટો અકસ્માત થયો છે. યાત્રીઓને મચૈલ માતા લઇ જતી બસ કિશ્તવાડથી 28 કિલોમીટર દુર વિસ્તારમાં ચિનાબ નદીમાં ખાબકી હતી. ફક્ત 5 વર્ષનું એક બાળક બચી ગયું.
ડોડા-કિશ્તવાડ હાઇવે પર થયેલાં અકસ્માતમાં બસ પર ભેખડ ધસી પડતાં તે પલટી મારીને ખીણમાં પડી ગઇ હતી.