પહિંદવિધિનું રથયાત્રામાં અનેરું મહત્વ છે. માન્યતા અનુસાર રથયાત્રા પૂર્વે રાજા આવીને રથયાત્રાની સોનાની સાવરણીથી સાફ-સફાઈ કરે છે , આ વિધિને પહિંદવિધિ કહેવામાં આવે છે.
આજે જગતના નાથ ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા નીકળવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પહિંદવિધિ થવાની હતી. રથયાત્રા દરમ્યાન પહિંદવિધિનું અનેરું મહત્વ છે. આ દરમ્યાન માન્યતા અનુસાર રથયાત્રા નીકળે તે પહેલા રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રાની સાફસફાઈ કરે છે, આ વિધિને પહિંદવિધિ કહેવામાં આવે છે. પૂર્વે આ હક ફક્ત રાજા ને મળતો હતો. અને અત્યારે રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે.
એવી માન્યતા છે કે જગતના નાથની પ્રથમ સેવાનો અધિકાર રાજાને મળે છે. તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરે પછી જ ભગવાન રથમાં બેસીને નગરચર્યા પર નીકળે છે. આ વખતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી છે. ગયા વર્ષે પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી હતી.
આ પણ વાંચો:ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા/ 72 વર્ષ બાદ જગતનો નાથ નવા રથમાં બિરાજમાન થશે